33 વર્ષથી પરંપરા, આસ્થા અને સેવા
દેવગઢ બારિયા સર્કલ બજારમાં છેલ્લા 33 વર્ષથી "જય માતાજી ગરબા મંડળ" દ્વારા ભવ્ય અને સફળ ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ સર્કલનો ઇતિહાસ અત્યંત પ્રાચીન છે.
સર્કલમાં રાજા માનસિંહજી, જયદીપસિંહજી અને રણજીતસિંહજીની પ્રતિમા સાથે સર્કલવાળી માતાજીની પ્રતિમા સ્થાપિત છે. આ માતાજીની પૂજા અને અર્ચના બારેમાસ સમગ્ર શહેરના લોકો શ્રદ્ધાભાવથી કરે છે.
વર્ષ 2023માં આ સર્કલનું નવીનીકરણ રામ મંદિરના પવિત્ર પથ્થરથી કરવામાં આવ્યું હતું, જેનું શ્રેય નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. ચાર્મીબેન નીલ સોનીના પ્રયાસોને જાય છે.
આ સર્કલમાં થતો ગરબા દેવગઢ બારિયાનું મુખ્ય અને સૌથી મોટું ગરબા ગણાય છે.
અહીં કોઈ પાસ સિસ્ટમ કે ટિકિટ સિસ્ટમ નથી.
લોકો સેવા ભાવથી જે દાન આપે છે, તેનાથી જ દર વર્ષે ગરબાનું આયોજન થાય છે.
આ ગરબાની ખાસિયત એ છે કે દેવગઢ બારિયા જ નહીં પરંતુ આસપાસના ગામડાંમાંથી પણ હજારો લોકો માતાજીની આસ્થા સાથે જોડાઈને ગરબા રમવા આવે છે.
આ વર્ષે ગરબા મહોત્સવને વધુ રંગીન બનાવવા માટે મિત્ર મંડળ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
🎟️ ટિકિટ ફી: ₹250 માત્ર
🏆 પ્રથમ ઇનામ: ઇકો કાર
🏍️ બીજું ઇનામ: એક મોટરસાયકલ
🔋 ત્રીજું ઇનામ: બે ઇલેક્ટ્રીક વ્હીકલ
અને એ સિવાય કુલ 333થી વધુ ઇનામો, જેના વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ડ્રો સંપૂર્ણ પ્રમાણિકતાથી યોજાશે અને તેમાં મળેલી આવકનો ઉપયોગ માતાજીના ગરબા તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માટે થશે.
"જય માતાજી ગરબા મંડળ" માત્ર ગરબાનું આયોજન જ નથી કરતું, પરંતુ વર્ષભર અનેક સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે.
વરસાદ કે આફત સમયે પ્રભાવિત લોકોને ભોજનની વ્યવસ્થા
કોરોના કાળ દરમિયાન ભોજન સેવા તથા અંતિમ સંસ્કાર સેવા
આ રીતે આ મંડળ આસ્થા સાથે સેવા ભાવનું અનોખું પ્રતિક બની રહ્યું છે.
🌸 દેવગઢ બારિયા સર્કલના આસ્થા કેન્દ્ર – સર્કલવાળી માતાજીના ચરણોમાં નમન 🌸
✨ આ વર્ષે 33મા વર્ષની ભવ્ય ઉજવણીમાં આવો, જોડાઓ અને માતાજીના આશીર્વાદ મેળવો. ✨